20150110

રસોઈ ટિપ્સ

[ક] રસોઈ ટિપ્સ

[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[2] રોટલી માટે લોટ ગૂંદતીવખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછીથશે.

[4] મેળવણ ન હોય તોગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવીશકાય છે.

[5] ભાત બનાવતી વખતે તેમાંલીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી  દાણા અલગ-અલગ રહેશે.

[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયાપછી પણ સફેદ રહે છે.

[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[9] ચણા પલાળતાં ભૂલી ગયાહોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા  થશે.

[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો  છંટકાવ કરવો અને પછી તળવી.

[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીનેદાળમાં નાખવાથી તે ચોંટશેનહિ.

[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયુંહોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમપણ બને  છે.

[ખ] આરોગ્ય ટિપ્સ

[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

[2]  હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના  પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે  છે.

[4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતોનથી અને કફની તકલીફ મટે છે.

[5] એક ગ્લાસ ઠંડા પાણીમાંથોડો લીંબુનો રસ મેળવીપ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદોથાય છે.

[6] ખોરાક પચતો ન હોયતેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

[7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

[8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

[9] રાત્રે ભારે ખોરાક લીધાપછી છાસમાં જીરું, લીમડોઅને આદુનો ઘીમાં વઘાર કરીને  પીવાથી ફાયદોથશે.

[10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.

[11] સંધિવામાં આવતા સોજા પરઅજમાનું તેલ લગાવવાથી ફાયદોથાય છે.

[12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

[13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.

[14] એક ચમચી તુલસીનો રસઅને બીલીના ફૂલની સાથેએક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.

[15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણેકારેલાનો રસ જીરું પાવડરનાખીને એક ચમચી પીવો.

[
ગ] હોમકેર ટિપ્સ

[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ.  આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[2]  ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે  દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવીરાખવાથી તાજું રહેશે.

[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંનાપાન નાખવાથી ઘીમાં સુગંધઆવશે.

[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથીચમક વધારે આવે છે.

[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[7]  વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું  પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી  જશે.

[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.

[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે  છે.

[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાંન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.

[ચ] સોંદર્ય ટિપ્સ

[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે  છે.

[2] ત્વચા પર ડાઘ અનેધબ્બા હોય તો સરસિયાનાતેલમાં ચપટી મીઠું નાખીનેએનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.

[3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવીપંદર મિનિટ  પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.

[4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.

[5] ચહેરા પરની રૂંવાટી દૂરકરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ  નાખો.

[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.

[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાયછે.

[8] ચહેરા તથા ગરદન પરનીકાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.

[9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાંમટી જશે.

[10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી  વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

[છ] જાળવણી ટિપ્સ

[1]  ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે  કપૂરની ગોળી રાખવી.

[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.

[3] આમલીને લાંબો સમય તાજીરાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને  ત્રણ-ચાર દિવસ સુકાવવી.

[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી  અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.

[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકીનાખવાથી છોડ મોટો અનેતાજો રહે છે.

[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની  બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.

[7] સાડી પર તેલના ડાઘપડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.

[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથીએ સુંવાળાં રહેશે અને નડશે નહિ.

[9] રાઈના પાણી વડે બોટલધોવાથી બોટલમાંની વાસ દૂરથાય છે.

[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.



[જ] સ્પેશ્યલ ટિપ્સ

[1]  દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ  નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

[2] કપડાં ધોતી વખતે શર્ટનાકોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટેસાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

[ઝ] જીવન ટિપ્સ

[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.

[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.

[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.

[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી  ખાલી થાયછે.

[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે.  વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.