20130429

કાણી માઁ

હું અને મારી માઁ. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માઁને ખાલી એક આંખ હતી. જેથી તે થોડી કદરૂપી અને ડરાવની લાગતી હતી માટે મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી.

હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે હું એક દિવસ નાસ્તાનો ડબ્બો લાવવાનુ ભુલી ગયો હતો જેથી મારી માઁ રિશેષમાં મને નાસ્તો આપવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો. બિજે દિવસે શાળાએ ગયો તો મારા વર્ગનો એક વિદ્યાર્થી મને ચીઢવતો હતો, “એઇઇઇ .. .. તારી માઁને તો એક જ આંખ .. !! તારી માઁ તો કાણી .. તારી માઁ તો કાણી .. !!” હું ભોઠો પડ્યો. ઘરે જઇને મેં મારી માઁ ને સંભળાવ્યું, “તારે હવેથી મારી શાળામાં નઇ આવવાનું. લોકો માર પર હસે છે... તને કંઇ ખબર પડે છે .. ??”

માઁ કઇ ના બોલી. હું એટલો બધો ગુસ્સામાં હતો કે મેં પણ આ ઉદગારો કાઢતા પહેલાં વિચાર ન કર્યો. માને શું લાગણી થતી હશે તેનાથી હું તદ્દન અજાણ હતો.

મારે મારી માઁ થી દુર જવુ હતું. તેથી હું ખુબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. અમને બાળકો થયા. મે સુંદર, મારું પોતાનું ઘર ખરીદ્યુ અને મારી માથી દુર રહેવા ચાલ્યો ગયો. હું માર કુટુંબ અમે મારા આરામદાયક જીવનથી ખુબ ખુશ હતો.

એક દિવસે મારી માઁ ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારાં બાળકો પણ પહેલાં તેના દેખાવથી ડર્યા, પછી તેના પર હસ્યાં. મને ખુબ ગુસ્સો આવ્યો. મે રાડ પાડીને એને કહ્યુ, "મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તેં હિંમત કેવી રીતે કરી .. ?? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતુ .. ?? તુ હમણાં ને હમણાં અહીંથી ચાલી જા .. .. !!"

મારી માઁએ શાંતિથી મને કહ્યું, “મને માફ કર, બેટા. અહીં આવીને કદાચીત મેં ભુલ કરી .. !!” એમ કહી તે મારા ઘરેથી પાછી ચાલી ગઇ.

થોડા વર્ષો પછી મારી માઁ ખુબ બિમાર છે તેવા સમાચાર મળ્યા.

વ્યવસાયીક કારણસર હું જઇ ના શક્યો. થોડા દિવસો પછી યાદ આવતા હું માઁના ઠેકાણ્ર ગયો. પડોશીઓ દ્વારા મને જાણવા મળ્યુ કે મારી માઁનુ મૃત્યુ થોડા દિવસો પહેલા થઇ ગયુ છે. તેમ છતાં મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું.

પડોશીએ મારી માઁ એ એના અંત સમયે લખેલ પત્ર મારા હાથમાં મુક્યો.




પત્ર :-

“મારા વહાલા દિકરા. હું તને હંમેશા ખુબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારાં બાળકોને ડરાવવા નહોતી માંગતી છતાં મારા રૂપને જોઇને તેઓ ડર્યા એ બદલ હું ખુબ દિલગીર છું. હું તારા માટે સતત ભોંઠપનો વિષય બનવા બદલ પણ તારી માફી માંગુ છું. હવે કદાચ આપણે મળી નહી શકીયે તેથી હું તને આ વાત કરી રહી છું.

.. જ્યારે તું ખુબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઇ હતી. તારી માં તરીકે હું તને એક આંખ વાળો અને કદરૂપો જોઇ શકતી નહોતી. તેથી છેવટે મેં મારી એક આંખ તને આપી દિધી. મારો દિકરો હવે વિશ્વને બરાબર જોઇ શકતો હતો તે બદલ હું ખુબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યા એ વિશ્વને જોતી - અનુભવતી.”

ખુબ વહાલપુર્વક.

તારી એ જ

કાણી માઁ...!

----------------------------------

દુનિયામાં દરેક માઁ પોતાનું અસ્તિત્વ આપીને આપણા અસ્તિત્વને પોષે છે. આપણે તેના પ્રત્યે કેવો વ્યવહાર કરીએ છીએ .. ??

શું આપણે આપણા જન્મદાતા તરફ યોગ્ય વ્યવહાર કરીએ છીએ .. ??